"વ્યવસાયકારોની પ્રત્યક્ષ ઓળખ"

નવયુગ સંકુલના કક્ષા~ 3 ના બાળકોને અભ્યાસક્રમમાં આવતા વ્યવસાયકારોની ઓળખ માટે નવયુગ સંકુલના શિક્ષિકા જાનકીબેનએ વિદ્યાર્થ ીઓને વિરપર ગામના વ્યવસાયકારોની ઓળખ માટે મુલાકાત કરાવી. જ્યાં કુંભાર અને મિસ્ત્રીના ઘરે બાળકોને લઇ જઇ સાધનોની ઓળખ કરાવી તથા તેના કાર્ય વિશે પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું. આ મુલાકાતથી બાળકોમાં વ્યવસાયકારોની પ્રત્યક્ષ સંકલ્પના સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.વિદ્યાર્થી અભ્યાસમાં સાચું અને સચોટ પ્રવૃત્તિલક્ષી જ્ઞાન મેળવે તેના માટે સહભાગી થનાર વિરપર ગામના વ્યવસાયકારશ્રીનો ખુબ ખુબ આભાર...