Posts

Showing posts from April, 2018

વોઇસ ઓફ ગુજરાતમાં નવયુગનું ઘરેણું ચમક્યું

4 એપ્રિલના રોજ રાજકોટ ખાતે વોઇસ ઓફ ગુજરાતનું આયોજન કરેલ હતું, જેમાં નવયુગ સંકુલનો વિદ્યાર્થી રાઠોડ ચંદુએ ચાર ચાંદ લગાવી દીધા હતા. ફરીદા મીર અને લાલીતાબેન ઘોડાદરા જેવા જજને ખુશ કરી તમામ શ્રોતાઓના દિલ જીતી લીધા હતા. રાઠોડ ચંદુ આ સ્પર્ધામાં સિલેક્ટ થઈ ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ કરેલ છે, તે બદલ પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર તથા નવયુગ પરિવાર ગર્વની લાગણી અનુભવે છે....

હનુમાન જયંતિ પર્વ નિમિતે મારુતિ યજ્ઞ......

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હનુમાન જયંતિ પર્વ નિમિતે મારુતિ યજ્ઞ...... તમામ ધર્મપ્રેમી જનતાને હનુમાન જયંતિ પર્વની પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર તથા નવયુગ પરિવાર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે...

નવયુગ સંકુલમાં બાલસભા

Image
નવયુગ સંકુલમાં બાલસભાનું આયોજન કર્યું હતું. જેમાં ગાયન,વાદન,નૃત્ય અને ડ્રામા રજૂ કર્યા હતા. તેની યાદગાર ક્ષણો.

નવયુગ સંકુલ બોધસભા વક્તા - જનાર્દનભાઈ દવે

Image
આજની નવયુગ સંકુલની બોધસભાના વકતાશ્રી જનાર્દનભાઈ દવે હતા, જેઓએ વિદ્યાર્થીઓને પરિક્ષા તથા પરીક્ષામાં સારા માર્ક્સ કઈ રીતે લાવવા તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા, સાથે સાથે % ટકા (Percentage) નું જીવનમાં મહત્વ અંગે વાત કરી હતી. આ પરીક્ષાની બીક કાઢી તેમને તહેવારની માફક ઉજવવા અંગે અપીલ કરી હતી. અંતમાં તેમણે રચેલી કવિતા વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી હતી. આ બોધસભામાં હાજરી આપી તે બદલ પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા આભાર વ્યક્ત કરે છે....

નવયુગ કોમર્સ સ્કૂલમાં રોજગારી વર્ક માટે સેમિનાર યોજાયો

Image
20 માર્ચ 2018 ને મંગળવારના રોજ નવયુગ કોમર્સ સ્કૂલમાં રોજગારી વર્ક સંબંધિત સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વક્તાશ્રી જે.જે.કણસાગરા સાહેબ તથા રાજકોટ રોજગાર વિનિમય કચેરીમાંથી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને વિદેશનું શિક્ષણ, વિદેશનો વ્યાપાર, વિદેશની ભાષાઓ, વિદેશમાં રોજગારી, પાસપોર્ટ કઈ રીતે બનાવવો વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારની અમુક યાદગાર તસવીરો....

પ્રાથમિક વિભાગના શિક્ષકોની સ્ટાફ ટ્રેઇનિંગ

Image
દર 15 દિવસે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલના પ્રાથમિક વિભાગના શિક્ષકોની સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રત્યક્ષ પ્રવૃતિઓ તજજ્ઞો દ્વારા કરાવવામાં આવે છે

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી

Image
28 ફેબ્રુઆરીને બુધવારના રોજ વિરપર મુકામે આવેલી નવયુગ શૈક્ષણિક સંકુલમાં વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહેમાન તરીકે ગવર્નમેન્ટ શિક્ષક અને વિજ્ઞાન વિષયના તજજ્ઞશ્રી વિનોદભાઈ વસીયાણી ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિજ્ઞાન અને આજની ટેકનોલોજીની દુનિયાની વાત કરી હતી સાથે સાથે જે વૈજ્ઞાનિકોએ સંશોધન માટે પોતાની જિંદગી કુરબાન કરી દીધી તે તમામ વૈજ્ઞાનિકોના પ્રેરક પ્રસંગો કહ્યા હતા. ત્યારબા દ વિદ્યાર્થીઓના અલગ અલગ ગ્રુપ બનાવી વિજ્ઞાનની પ્રશ્નોતરીનું આયોજન કર્યું હતું. જે પ્રશ્નોતરીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બાળ વૈજ્ઞાનિક તરીકે ઉચ્ચારી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં વિદ્યાર્થીની બહેનોની ટીમ વિજેતા થઈ હતી તેમને નવયુગ સંકુલના પ્રિન્સિપાલશ્રી વાય.કે.રાવલસરે ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સફળ આયોજન બદલ મહેમાનશ્રી વિનોદભાઈ વસીયાણીનો સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસાહેબે આભાર વ્યક્ત કર્યો હતો...

સિતારે નવયુગ એવોર્ડ કાર્યક્રમની એક ઝલક

Image
સિતારે નવયુગ એવોર્ડ કાર્યક્રમની એક ઝલક

સિતારે નવયુગ એવોર્ડ કાર્યક્રમ (Invitation)

Image
સિતારે નવયુગ એવોર્ડ કાર્યક્રમ  તા.23 ફેબ્રુઆરી (વિદ્યાલય કાર્યક્રમ) તા. 24 ફેબ્રુઆરી (કોલેજ કાર્યક્રમ) તા. 25 ફેબ્રુઆરી (સંકુલ કાર્યક્રમ)